રાધાકૃષ્ણ, શિવપાર્વતી, રામદરબાર, હનુમાનજી, ગણપતિજી સાથે ભોજલરામ બાપા અને તેના બન્ને શિષ્યો વાલરામ અને જલારામ બાપની આરસની મૂર્તિઓ સહિત શિખરબંધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે.
આ સંસ્થાના ઉપક્રમે વર્ષમાં બે કાર્યક્રમો :
(1) વૈશાખ સુદ 15 ના દિવસે ભોજલરામ બાપાની જન્મજ્યંતિની શાનદાર ઉજવણી કરવામાં આવે છે અને
(2) દર ઓગષ્ટ/સપ્ટેમ્બર માસમાં ભોજલરામ મંદિરના પાટોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવે છે.